Monday, 10 November 2014

'પિતા'

             પિતા એક એવો શબ્દ કે જે મોઢે આવતા જ એક પ્રકારની હાશની ભાવના થાય છે. એક સધિયારો મળે છે કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવશે આ પિતા નામનો પુરુષ આપણું રક્ષણ કરવા હમેંશા તૈયાર જ હશે.
              શ્રી રામ નારાયણ પાઠકે પિતાની સરસ વ્યાખ્યા કરી છે તેમના પ્રસિદ્ધ ગીતમાં ...તેઓ પરથમ પરમાણ  એટ્લે કે પ્રથમ પ્રણામ તેની માતાને કરે છે કે જેને માટીમાંથી રતન બનાવ્યો ને બીજા પ્રણામ તેમના પિતાને કરે છે .તેઓની વ્યાખ્યા મુજબ  પિતા એટ્લે કે જેણે ઘરની બહાર આણી મને શેરી બતાવી તે “
                    માતા જગતમાં લાવે છે અને પિતા આ જગત શું તેનો ખ્યાલ કરાવે છે.પિતાની વાત નીકળે એટ્લે તરત જ પિતા-પુત્રીના પ્રેમની વાતો નીકળે . નરસિંહ મહેતા જેવો વૈરાગી પિતા કુંવરબાઈ વગર અધૂરો છે.પંડિત નહેરુ જેવા પિતા ઇન્દિરા વિના અધૂરા છે. શંકુતલાના પ્રેમમાં  કણ્વ  જેવા પ્રખર ઋષિ પણ આખરે તો પિતા બનીને જ રહે છે.  પિતાને પુત્રી પર પ્રેમ કદાચ એટ્લે વધારે હોય શકે કે પુરુષમાં ગમે તેટલી પ્રબળ લાગણી હોવાની ,ગમે તેટલો પ્રેમાળ હોવાનો પણ એ માતૃત્વ પામવાનો વિશેષ અધિકાર ચૂકી જાય છે કારણ કે એ પુરુષ છે. ને કદાચ પોતાની આ ખોટને પુરાવા એ દીકરીને વિશેષ વહાલ કરતો હોય એવું બની શકે. દરેક પુરુષ અંતે તો બાળકમાંથી પરિવર્તિત થયેલો હોય છે ને તેમને મન માં  શબ્દ સાથે તેમની નાનપણની સ્મૃતિઓ આખર સુધી જળવાયેલી જ રહે છે ને કદાચ પોતાની માં ની છબી એને દીકરીમાં દેખાતી હોય શકે.
                    પ્રત્યેક પુરુષમાં થોડું ક સ્ત્રીત્વ ને પ્રત્યેક સ્ત્રીમાં થોડું પુરુષત્વ રહેલું હોય છે. અને પુરુષમાં રહેલા આ થોડાક સ્ત્રીત્વને દીકરી વિસ્તારે  છે. તેનામાં ઝાકળ જેવી ભીનાશ છંટકોરી દે છે.
                   આમ જોઇયે તો પિતા એટ્લે “ડર” ઉત્પન્ન કરનાર વ્યક્તિ. ઘરમાં પણ કઇંક થાય એટ્લે મમ્મીનો પહેલો સ્વર એ જ નીકળે કે “પપ્પાને નહીં ગમે , પપ્પાને કહી દઇશ” ને કઇંક પૂછવાની વાત આવે એટ્લે સીધું પપ્પા પર જ આ પૂછી લેવાનો કળશ ઢોળાય. જાણે અજાણે બાળકોના મનમાં પપ્પાની એક એવી છબી બંધાય જેમાં ડર, ભય, માન બધુ જ  સામિલ હોય છે. ને એવી ગ્રંથિ બંધાય છે કે પિતાની અનુમતિ વગર ડગલું પણ ભરી નહીં શકાય. આમાં ક્યારેક પપ્પાની હા પાડે ..ક્યારેક ના પાડે. ને હા પડાવવા પાછળ પણ એટલું માનસિક દબાણ હોય કેટકેટલી કથાઓ ઊભી કરાય હોય ..મૂડ પારખીને વાત થઈ હોય ..તેમના ફ્રી ટાઈમની રાહ જોવાઇ હોય..એટલી આવી “હા” પડે એળે હાશકારો થતો હોય પણ એ “ હા “ નો આનંદ ન હોય ને “ ના “ પડે તો વાત જ શું કરવી..!!

              આમ જાણે અજાણે બંધાતી જતી આ નકારાત્મક ગ્રંથિ આગળ જતાં બહુ મોટું સ્વરૂપ ધારણ કરે છે. ગભરુ સંતાન હોય તો એનો વિકાસ આવી ભય ગ્રંથિ સાથે થયા કરે છે.
             ને કદાચ એટ્લે જ પિતા પુત્રની વાતો ખૂબ ઓછી થઈ છે કારણ કે આવી બધી વાતો પિતા ને પુત્ર વચ્ચે કાયમી રહે છે, દીકરીને તો અંતે સાસરે જ જવાનું હોય છે.
            ફાધર્સ ડે તો સંતાનમાં કોઈ ભેદ પાડતો નથી. આપણાં ભારતીય સમાજમાં આવા કોઈ ડે ની જરૂર નથી છતાં ય આવા ડેઝ  ઉજવવા પાછળ સંબંધોની લાગણીઓ જોડાયેલી હોય તો ઉજવવામાં વાંધો પણ શું હોય શકે ..!!!
            ફક્ત પિતા પુત્રીના પ્રેમને સીમિત ન રાખતા આજે કેટલાક એવા પિતા –પુત્રની પણ વાતો ..રાજા દશરથને ચાર પુત્ર ને એક પુત્રી હતા .પુત્ર વિયોગમાં પ્રાણ ખોનારા કદાચ તે પહેલા વ્યક્તિ હશે. ને શ્રવણની કથાથી કોણ અજાણ  હશે !!! પિતૃભક્તિની આવી અનેક ગાથાઓ આપણાં પુરાણોમાં સચવાઇને પડી છે ને એવું આપણી ફિલ્મી દુનિયાની પણ છે.પિતા પુત્રની ભાવના ને દર્શાવતી ઘણી બધી ફિલ્મો આવી છે ને આ બધી જ ફિલ્મોમાં ખૂબ સરસ સંવેદન પકડાયું છે.

            પિતા-પુત્ર ભલે પિતા-પુત્રીની જેમ નજીક ન હોય પણ એક અદ્રશ્ય સેતુ બંન્નેને કોઈ મૂક લાગણીથી જોડી રાખે છે. તેમની વચ્ચે શબ્દો જરૂરથી ઓછા બોલતા હશે પણ સંવેદન ભારોભાર હશે.  પિતાની આંગળી પકડીને બહારની દુનિયા જોવા નીકળેલો બાળક પિતાની નજરે જ દુનિયાને ઓળખતો થાય છે. પિતાને પગલે જ ચાલનારો થાય છે. ડગુમગુ ચાલતા પગલાંમાંથી મક્કમ પગલાં સુધીની યાત્રામાં પિતા જ પુત્રનો હમસફર બનીને રહે છે. 

અસ્તુ 
hemal dave

Bhitar

Pyar

Thursday, 6 November 2014

'સજાતિય સબંધ શું ગુનો છે ? '

                  ઈશ્વર એટ્લે કે કુદરત બહુ વિચારીને માનવજીવન આપે છે અને આજ માનવને માનવી થવું કે પશુઓની જેમ જીવન જીવી જવું એ નક્કી કરવા વિચારો પણ આપે છે. પોતાની નબળાઈને જીતીને જે જીવી શકે છે અથવા નબળાઈને જાણવા છતાં જીરવી જાય છે ને પછી સારી રીતે જીવી જાય છે અને ખાસ બીજાને જીવનનું મૂલ્ય સમજાવી જાય છે. આમ પોતાનું મૂલ્ય આંકવું ને બીજાને શિખડાવું એ નાની સુની વાત જ નથી. માણસ પોતાની આત્મકથા લખતી વખતે પણ કઈક એવું તો છુપાવે જ છે ..અથવા લખે તો પણ કૈંક છુપાવીને ….જ્યારે આ તો જગ સામે જાત ખોલવાની વાત છે ને હિંમતભેર સામનો કરવો એ ખાવાના ખેલ બિલકુલ નથી.                                     સૌ પહેલા પ્રિન્સનો પરિચય મને મારા ફેવરિટ ઓપ્રા વિન્ફ્રે ના શો દ્વારા થયો ………ને એમને મળીને જે આનંદ થયો છે ..એની તુલના ન થઈ શકે …………..મળવા જેવા માણસ ….વિચારોથી એકદમ સાફ ……દંભનું નામોનિશાન નહીં …………..ને એટ્લે જ કહીશ …..HATS OF HIM ……DIL SE ..                    
જી હા હું વાત કરી રહી છું રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહીલ વિશે  ………અથવા વધુ કહું તો ગે એક્ટિવીસ્ટ વિશે ..   
         
                     ફક્ત 12 વર્ષની વયે જ પોતાની જાતને ઓળખી લેનાર ને વર્ષો  પોતાની જાત સાથે લડાઈ લડ્યા પછી એક વાર નર્વસ બ્રેક ડાઉનનો ભોગ બન્યા પછી ડોકટર દ્વારા તેમના પરિવારને તેમની ગે હોવાની જાણ થઈ .પણ ત્યાં સુધીમાં મોડુ થઈ ચૂક્યું હતું ..તેમના લગ્ન પણ કરી દેવાયા હતા ને તેમના ગે હોવાને કારણે એ ડાયવોર્સમાં પણ પરિણમ્યા હતા…પરંતુ સોનાને શુદ્ધ  થઈ ને બહાર આવવું હોય તો તપવું પડે છે ને એવી જ રીતે તપી તપીને શુદ્ધ થયેલા આ સોના જેવા માનવીએ આ તપારો બીજાને વેઠવો ન પડે..ને ચાલુ થયેલી તેમની લડત આજ દિવસ સુધી થંભી નથી ને થંભવાની પણ નથી………! તેમના વિશેની બધી જ માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ છે પરંતુ તેમની  આંતરિક અટારીએ પહોંચવાનું બધાનું નસીબ નથી હોતું.      

                       માણસ હંમેશા નબળો પ્રાણી બનીને રહ્યો છે તેમની સબળતા ક્યાં તો જીભ પર રહી છે ક્યાં તો લખવામાં રહી છે અથવા બીજાને સલાહ દેવામાં શૂરાપુરા રહી છે પરંતુ પોતા પર જ્યારે વાત આવે ત્યારે તેમની આ સબળતાની તલવાર મ્યાન થઈ જાય છે ………..આવા નબળા પ્રાણીમાં કોઈ સબળ અવાજ જ્યારે સંભળાય છે ત્યારે દિલ બાગ બાગ થઈ જાય છે.જીવન જીવવાનો એક અલગ જુસ્સો લોહીના કણ કણમાં વ્યાપી જાય છે……..!       
                        
            કુદરતે આપેલી આ કુદરતી રચનાને કેમ કુદરતી લેવામાં નથી આવતી ..માનસિક કે શારીરિક  ખોડ ખાંપણ સાથે જન્મ લેતી વ્યક્તિઓને આજે કૈંક સારી દ્રષ્ટિથી જોવાની શરૂઆત થઈ છે પરંતુ હજુ એ દ્રષ્ટિ ધૂંધળી તો છે જ ….પરંતુ એવી જ કુદરતી ખોડ સાથે જન્મનાર આ વ્યક્તિઑ કે , પુરુષો માટે “ ગે “ ને સ્ત્રીઓ માટે “ લેસ્બિયન “ શબ્દ વપરાય છે. ને ટૂંકમાં કહીયે તો તેવો  સજાતિય સંબંધ ધરાવે છે..તેમને વિરુદ્ધ જાતિ કરતાં પોતાની જાતિ તરફ જ આકર્ષણ રહે છે. તેમના જાતિય સંબંધો તેમની જ જાતિ સાથે હોય છે.                                  ને વેજ્ઞાનિક રીતે પણ આ પુરવાર થઈ ચૂક્યું છે કે આ માનસિક બીમારી નથી પરંતુ સંપૂર્ણપણે શારીરિક જ છે . ને છતાં ય આ કાળા માથાના માનવીને સ્વીકારવામાં બીજા  અધકચરા વિચારો વાળા કાળા માનવીને ઝાટકા લાગે છે ..શું કામ ???  ફક્ત ને ફક્ત એટલા માટે જ કે તેઓ  સજાતિય લોકો સાથે સેક્સ સંબંધથી બંધાય છે ?  થર્ડ જેન્ડરના લોકો તો આ સંબંધ પણ બાંધી નથી શકતા …જેમ ખાવા પીવાની જરૂરિયાત પૂરી કરવી જ પડે છે તેમ શું શારીરિક જરૂરિયાત પૂરી કરવાની જરૂર ન પડે ? એ શું એમનો હક નથી   ??  એના પોતાના મૂળભૂત હક માટે એમને લડત આપવી પડે એ કેવું ..? ને આપણે એ લડતમાં તેમનો સાથ આપવાને બદલે નાકના ટિચકા ચડાવીને વાત કરીયે એ પણ કેવું ..?      

                           ખરી જરૂરિયાત જ તેઓની આપણાં સહજ સ્વીકારની છે તેમની શારીરિક રચનાની નબળાઈઓ તેમને સહન કરવાની જ છે પરંતુ આપણી સામેની લડાઈ બહુ વસમી પડે છે ..અહિયાં આપણી એટલે આ “ સમાજ “ સમજવું.                                     બસ આ કહેવાતા સમાજ સામે લડત આપતા માનવ ..પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહેલ ને જ્યારે પહેલી વાર ઓપ્રા વિન્ફ્રે ના શો માં ખૂલીને વાત કરતાં જોયા ત્યારથી જ તેમની હિંમતની એક પ્રશંસક બની ગઈ હતી ને જ્યારે સદેહે મળવાનું થયું ….ત્યારે  તેમની નિખાલસતા ..સાલસતા ને વિચારોનું ખુલ્લાપણું ….ને તેમની આગવી બુદ્ધિમતા સ્પર્શી ગઈ. ………..!          

                                   એ પોતે જ સ્વીકારે છે કે અમારો રાજવી સમાજમાં પણ દંભ છે  ..તેમની કેટલીયે કુટેવો ..ખોટા રીત રિવાજ સામે એમને વાંધો છે. પોતે રાજવી પરિવારમાં જન્મેલા છે ને એટ્લે જ કદાચ આ લડાઈ એમના માટે લડવી અઘરી બની હતી.     એ કહે છે કે હું મારા  માતાજીનો આભાર માનું છું કે ફક્ત એક વાક્યમાં કે “ તમે મને જન્મ આપ્યો તો હું ઓપ્રા વિન્ફ્રેના શો માં પહોંચ્યો “.  તેમની સાથેની મુલાકાતમાં ઘણા પ્રશ્નોના જવાબ ખૂબ સરળતાથી આપ્યા …..તેઓ કહે છે કે “ સામાન્ય રીતે બધા  જમણા હાથે લખતા હોય ને કોઈ ડાબા હાથે લખે તો શું એ એબ્નોર્મલ ગણાશે ? જો નહીં તો ગે હોવું પણ આવી જ કૈંક બાબત છે. તેઓ પોતાની જાતને આટલી સરળતાથી સ્વીકારે છે.. જ્યાં સમાજ સામે સજાતિય સંબંધ ગુનો છે ને તેનાથી પરિવાર તૂટે છે આ  પ્રશ્નના જવાબમાં કહે છે કે “અમે પરિવારને વધારી  નથી શકતા કે જોડી નથી શકતા  પણ તોડવા નથી માગતા ઉલટાનું આવી વ્યક્તિ જ્યારે લગ્ન કરે છે ત્યારે તેમની સાથે રહેલ પાત્ર સાથે અન્યાય કરે જ છે ..ઉલ્ટાનું આવી વ્યક્તિ પોતે જ જેવા છે એવા સ્વીકારી લે તો પરિસ્થિતી સહજ ને સરળ બને છે. તેઓ કહે છે કે “ તેમની ઓફિસમાં કામ કરતી સ્ત્રીઓના પતિઓ કહે છે કે તેમની પત્ની આ સ્થળે સૌથી વધુ સલામત છે “.  વધુ માં કહે છે કે “ અમુક સ્ત્રીઓ જ પોતાના પતિ જ્યારે “ ગે “ હોવાની  જાણ થાય ત્યારે તેમની સંસ્થામાં લઈને આવે છે ..આવી સ્ત્રી કહે છે કે મારો પતિ કોઈ સ્ત્રી આગળ જતો હોત તો શું કરી શકત ? એને બદલે ભલે એ પુરુષમિત્ર પાસે જાય કમસે કમ એ મિત્રની આર્થિક જવાબદારી તો માથે નહીં આવે ને અથવા તો કોઈ  સ્ત્રી મિત્ર હોય તો બાળક થવાની પણ સંભાવના જ્યારે આ સંબંધમાં આવું કઇં તો નહીં બને ને !!!  આમ સમાજમાં સહજ રીતે પણ આ સંબંધને  સ્વીકારી લેવાય છે  પરંતુ એનું પ્રમાણ બહુ  ઓછું છે.                            

તેમના સજાતિય સંબંધ ધરાવનાર સમાજમાં પણ અમુક ગુના થાય છે .છેતરપિંડી થાય છે .ક્યારેક બ્લેકમેલિંગ થાય છે તો ક્યાંક સજાતિય સંબંધોને લઈને થતી બીમારીઓ પણ વકરી રહી છે….ને આ બધા જ પ્રશ્નો સામે એમની લડત ચાલી રહી છે તેમની  “ લક્ષ્ય “ સંસ્થા દ્વારા ….                            ને “ લક્ષ્ય “ નું લક્ષ્ય બિલકુલ સાફ છે. તેમની યોજનાનું એક પાસું હ્રદય સ્પર્શી છે કે તેઓએ નર્મદાના કિનારે આશ્રમ ખોલ્યો છે જેમાં સમાજના આ વર્ગ ઉપરાંત દરેક વર્ગ જે તરછોડાયેલો છે તેમણે સ્થાન આપે છે. માણસની પાછલી જિંદગી જો ઘાવ વગરની બનાવા એ કટિબદ્ધ છે.              
           
 એક સામાજિક પ્રાણી થઈને આપણે આપણાં  નકામા તીર આડેધડ છોડ્યા કરીએ છીએ બલ્કે  આપણે જરૂર છે તો આવા કોઈ લક્ષ્ય રાખીને કામ કરતાં માનવીના ભાથામાં  તીર બનીને રહેવાની…….!   

hemal dave  18 July 2014   

'બેતાળા'


'સમજણ'

આપણને હંમેશ માટેની ફરિયાદ હોય છે કે મને કોઇ સમજતું નથી મને કોઈ સમજવાની કોશિશ પણ નથી કરતું પરંતુ ક્યારેય આપણે આપણી અંદર જઈને જોવાની તસ્દી નથી લેતા ..અને જો તે લીધી હોય તો આવી ફરિયાદ અસ્થાને બની જાય છે અને કેવી વિચિત્રતા છે..!  બધાને માટે સમય કાઢતા લોકો પોતાને સમય દેવાનું ભૂલી જાય છે અને બીજાને આની માટેનો દોષ આપવા તત્પર રહે છે..! બીજાને મળવા બહાર પણ જવું પડે અને આ તો આપણો  પોતાનો “માહ્યલો” આને બિચારાને જરા પણ ટાઈમ નહીં અને પછી એ સતાવે જ ને ..? અને ત્યારે પાછું તેની પર ધ્યાન જ નહીં ..ઓલિયો ઘોળિયો બીજાને માથે ..?
હકીકત એ છે કે આપણે આપણી અંદરના જગતને વિસ્તારતા જઇયે તો બહારનું જગત આપોઆપ સુંદર બનતું જ જશે ..અંદરની સૃષ્ટિને સારા વિચારો ..સરસ લાગણીઓ ને મસ્ત મજાનું વિશ્વાસના ફૂલોને ખાતર આપતા રહેશું તો એ પણ લીલાછમ બનીને પાંગરશે અને એની સુવાસ તમને જ નહીં તમારી આસપાસ પણ ફેલાશે ….એ અંદરના જગતને ક્યાંક  પણ જો તમે સમજી ગયા તો આ ફરિયાદ તમારી તો નહીં જ રહે પણ તમારા પ્રત્યેની પણ કોઈ ને નહીં જ રહે ..
અસ્તુ …
હેમલ દવે