Thursday, 21 March 2013

"ભગવાનનો ટેગ"


મારી નાની હીરની વાત કરુ...અમે ઉજૈનમા રહેતા હતા..અને એને ખબર નહિ કેમ પણ બધા ભગવાનની પાછ્ળ કઇને કઈ ટેગ લગાવીને વાત કરવાની આદત..જેમ કે શંકરદાદા.હનુમાનકાકા,ગણેશમામા,ક્રીષ્નાભાઇ.એટ્લુ સારુ હતુકે કોઇ માતાજીના નામ પાછ્ળ માસી ન્હોતી લગાડ્તી..અને આ બધા સાથે મારા મકાનમાલિકણને વૈષ્ણવધર્મના ચુસ્ત પાલન કરનારાને વાંધો હતો અને એમાય જ્યારે કાનાની નાની મુર્તિને લઇને રમકડાની જેમ હાથમાં લઈને ફરતી,સાથે જમાડ્તી.ઓશિકા પર રાખીને સુવડાવતી ત્યારે તો જોવા જેવી થતી..અને ડાયરેક્ટ મારી દિકરીઓને ના પાડે..આવુ ન બોલાય..આનાથી ન રમાય..ત્યાં સુધી કે તે ઉપર રહેતા હતા અને નીચે ઉતરવાનો અવાજ પણ મારી દિકરીઓ સાંભળે કે ફ્ટ દઈને બધુ મુકી દે..કારણ કે તેમના ઘેર કામ કરતી કામવાળીના દિકરાને આઘો કાઢ્નારી એ સ્ત્રી ભગવાનને બધી ઋતુ પ્રમાણે સાચવતી હતી..ધર્મનુ આચરણ વિના વિચારે કરવુ એના જેવી મુર્ખાઇ તો બીજી કોઇ નથી.                                            ખેર કોઇના વ્યક્તિગત વિચાર અને આચરણ સાથે કોઇ વાંધો ન હોય શકે પણ જ્યારે એ વિચારોનુ થોપણ આપણા પર થતુ લાગે ત્યા.....અને આ સવાલ સામે તો મારી દિકરીઓ મને પુછે.." હે મમ્મા ભગવાન કૈ થોડા એકલાના હોય...એના ઘેર એમના આપણા ઘેર આપણા....ત્યારે મારી મીત્સુ ૭ વર્ષની અને હીર ૩ વર્ષની હતી અને એ દિકરીઓ એના ડેડી પાસેથી રોજ રાત્રે અવનવી વાર્તાઓ સાંભળવા ટેવાયેલી હતી..જેમાં ચકાચકીની વાર્તાથી માંડીને કાનુડાના પરાક્ર્મ સુધીની વાર્તાઓ આવી જાય...્ભગવાનોને હંમેશા પોતાની પરિકલ્પનાઓમાં સાચવનારી અને સપનાઓમાં રોજ મળનારી હતી...સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવનાર બધા હોય જ છે જ્ન્મજાત..્પણ ઉંમર વધતા સાથે એ વ્યક્તિત્વ મા-બાપના વિચારોમાં દબાતુ જાય છે..્જમાનાની વિરુદ્ધ જઈને અથવા એમ કહો કે થોડુ આગળ જઇને અમારા સંતાનોને ઉછેરવાનુ રુપાળુ ફળ અમને જ્યારે આજે દેખાય છે ત્યારે એમ થાય છે કે આવી અભિવ્યક્તિઓને રોકવા ટોકવાનુ કામ આપણે છોડી દઇએ તો એમનુ વ્યકતિત્વ એમનુ બનીને જ નીરખે છે..અને એ મજાનુ જ હોય છે..અર્થસભર..લાગણીથી ભરપુર હોય છે.                                                                 ત્યારે અમને મારી દિકરીઓને કાનાની મુર્તિ સાથે રમવામાં કે એમનાથી થતા સંબોધનોમાં ક્યાંય અજુગતુ નહોતુ લાગ્યુ કે ન અમે એ રોક્યુ હતુ..કદાચ એથી જ એ ભગવાનની પુજા નથી કરતી પણ એના પ્રત્યેનો અહોભાવ ભારોભર ભરીને બેઠી છે..તેઓને ખબર છે..ભગવાન બધાના હ્ર્દયમાં વાસ કરે છે અને બધાની પાસે હોય જ છે..પણ હા, તેની મહેમાનગતિ કેમ કરવી એની રીતના જાણકાર બહુ ઓછા હોય છે.....




[ અને આવા સવાલોના જવાબ સાચા દેવાની જ ટેવ હોવાને કારણે અમે એ મકાન વ્હેલી તકે છોડી દીધુ હતુ કારણ કે અમને અમારી દિકરીઓની સ્વતંત્રતા પૈસા કરતા વધારે વ્હાલી હતી ]


હેમલ દવે૧૬/૧૨/૧૨૯.૩૫ સવાર


No comments:

Post a Comment